Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

આપણે એકઠા થઇએ છીએ એક નથીથઇ શકતાઃ પૂ. સંત નિર્મળ સ્વામી

વિછીયામાં સમુહલગ્ન પ્રસંગે સ્વામીએ અમૃતવાણી પીરશી

રાજકોટ તા.ર૭: માનવ જાતે પોતાની સંવેદના ગુમાવી છે ત્યારે ધર્મ ફરજ અને પ્રતિબદ્ધતાની ઇમારત પર ઉભુ છે.

આ અમૃતવાણી વીછીંયા ખાતે યોજાયેલ સર્વ જ્ઞાતી સમુહલગ્ન વેળાએ સમઢીયાળા-૧ યોગીધામના યુગ દીવાકર સંત પૂ.નીર્મળસ્વામીએ પીરસી હતી. તેમણે કહ્યું કે દયા વિનાની આંખ સેવા વિનાના હાથ અને દાન વિનાનું કાર્ય નીરર્થક છે. સાથો સાથ મનુષ્યનું આચરણ, સ્મરણ પવિત્ર રાખવાની શીખ આપી હતી. ટચલી આંગળી પર ભરોસો હોય તો ગોવર્ધન ઉંચકાય પરંતુ મોબાઇલના વિશ્વાસએ આંગળી ફેરવી જીંદગી ન જીવાય, જીવ જીભથી નહીં પણ જીવતરથી ભકિત કરે છે. આડંબરને ઉથલાવે એ જ યુવાની સાચી.

યુગ દીવાકર સંત પૂ.નીર્મળસ્વામીએ અંતમાં જણાવ્યુ કે મનુષ્યના બહારના અને અંદરના મનનું ઐકય ન હોય ત્યારે દુઃખી કરતી પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે. કૃપાળુના સ્મરણથી તૃપ્ત થવાશે. ધ્યાન કરવા વાળો મનુષ્ય કાયરતાને ત્યાગે કારણ કે ગીતાજીમાં કહ્યું છે કે અનેક જન્મ સંસિદ્ધસ્તો યાતિ પરામ ગતિ. સમુહલગ્નમાં અનેકાનેક સાધુ મહંતો દાતાઓએ અનુદાનની ઝડી વરસાવી હતી. આ પ્રસંગે વિધક્ષેત્રના મહાનુભાવો ખાસ હાજર રહી સામુહીક મહાપ્રસાદ વ્યાખ્યાનનો લાભ લીધેલ

(3:55 pm IST)