Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

પોરબંદર રેડક્રોસ દ્વારા મતદાર જાગૃતિ

પોરબંદર :  લોકસભા સામાન્ય ચૂંટણીમાં એક-એક મતદાર સુધી મતદાન માટેનો સંદેશો પહોંચાડવા જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમો આપવામાં આવી રહયા છે. જેનાં ભાગરૂપે સોરઠીયા વાણંદ જ્ઞાતીની વાડી, પોરબંદરમાંઇન્ડીયન રેડક્રોસ આયોજીત રાષ્ટ્રીય માનસિક કાર્યક્રમમાં ઇવીએમ-વીવીપેટનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. બાબર એસો., ભાવસિંહજી હોસ્પિટલ અને ઇન્ડિયન રેડક્રોસના સહકારથી યોજાયેલ આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વાણંદ સમાજના લોકો ઉપસ્થિત રહી લાઇવ ડેમો મતદાન સાથે મતદાનની સમજણ મેળવી મતદાન કરવા પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી, સ્વીપ કાર્યક્રમ અંતર્ગત આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની તસ્વીર

(2:33 pm IST)