Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

કુવાડવાના નાગલપરામાં દાઝી જતાં હીનાબેન કોળીનું મોત

રાજકોટ તા. ૨૭: કુવાડવા તાબેના નાગલપરમાં રહેતી હીનાબેન સંજયભાઇ ગોઢાણીયા (ઉ.૩૦) નામની કોળી પરિણીતાનું  દાઝી જતાં મોત નિપજ્યું છે.હીનાબેન બે દિવસ પહેલા દાઝી જતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જ્યાં ગત સાંજે તેણે દમ તોડી દીધો હતો. રસોઇ બનાવતી વખતે અકસ્માતે દાઝી ગયાનું પ્રાથમિક પુછતાછમાં પોલીસને જણાવાયું છે. હીનાબેનના લગ્ન આઠ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ મજુરી કરી ગુજરાન ચલાવે છે. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

(12:05 pm IST)