Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

ડો.સૈયદના સાહેબ માંડવીમાં : મજલીસ

બપોરે ભુજથી અમદાવાદ જશે

રાજકોટ, તા. ૨૭ : વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ હિઝહોલીનેશ ડો.સૈયદના આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.) ગઈકાલે માંડવી (કચ્છ)માં મુબારક પ્રસંગે ગયા છે. દાઉદી વ્હોરા સમાજના ભાઈઓ, બહેનો, બાળકો હજારોની સંખ્યામાં મૌલા મૌલા એક નઝરના બુલંદ નારા સાથે આપના દીદાર કરી ધન્યતા અનુભવી હતી.

તેઓ ગઈકાલે ૩૭માં સૈયદના નૂર મોહમ્મદ નુરૂદ્દીન સાહેબ (રી.અ.)ના ઉર્ષ મુબારકની રાત્રે મગરીબ ઈશાની નમાજ બાદ મજલીસમાં પહોંચી ગયા હતા. આજે ગુરૂવારે ઉર્ષ મુબારકના દિવસે વાઅઝ ફરમાવી હતી. ત્યારબાદ બપોરે (૨૨૯૦૪ ટ્રેઈન નંબર) ભુજથી અમદાવાદ જશે. ત્યાં કુત્બી મજારમાં દાઉદી વ્હોરા સમાજના ભાઈ - બહેનોને દીદાર આપશે તેમ યુસુફભાઈ જોહર કાડ્ર્સવાળાએ યાદીમાં જણાવ્યુ હતું.

(11:28 am IST)