Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

જૂનાગઢ ઉપલા દાતારની જગ્‍યા ખાતે મહંત શ્રી ભીમબાપુ દ્વારા ધ્‍વજવંદન

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૭ : કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્‍યામાં  ૨૬ જાન્‍યુઆરી દેશ ગણતંત્રના દિવસે મહંત શ્રી ભીમબાપુ દ્વારા રાષ્‍ટ્રધ્‍વજને સલામી આપી ફરકાવવામાં આવ્‍યો હતો. અને આ પ્રસંગે દાતારના દર્શને પધારેલ ભાવિકો અને વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. દાતારના ડુંગરની આટલી ઉંચાઇ ઉપર પ્રતિ વર્ષ દેશના પ્રજાસત્તાક દિનની પુરા ભાવ સાથે ઉજવણી કરવામાં આવે છે. જેમાં પૂજ્‍ય ભીમબાપુએ દેશની અખંડિતતા અને એકતા બની રહે તેવી દાતાર બાપુને પ્રાર્થના કરી હતી. વહેલી સવારની ફુલ ગુલાબી ઠંડીમાં એકઝેટ નવના ટકોરે રાષ્‍ટ્રધ્‍વજને સલામી આપી અને દેશ પ્રત્‍યેની ભાવનાને ઉજાગર કરી હતી. 

(10:54 am IST)