Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ ટ્રસ્ટના ૧૧ લાખ વૃક્ષોના વાવેતરના સંકલ્પમાં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

(દિપક કકકડ દ્વારા) વેરાવળ તા.૨૭ :  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગીર સોમનાથ જિલ્લામાં ૭૩માં પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી બાદ પ્રભાસપાટણમાં સોમનાથ ટ્રસ્ટ સંચાલીત ગૌશાળા અને ચંદનવનની મુલાકાત લીધી હતી.

રાજય સરકારના પર્યાવરણીય જાગૃતિ અભિયાનમાં સંસ્થાઓની- લોકોની જનભાગીદારી થકી ગુજરાતને હરિયાળુ કરી 'ગ્રીન ગુજરાત'નુ સૂત્ર મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શનમાં સાર્થક થઇ રહ્યું છે.

સોમનાથ મંદિર ટ્રસ્ટે ગીર સોમનાથ જિલ્લામાં વિશેષ સેવાકીય પ્રવૃત્ત્િ।ના ભાગરૂપે ૧૧ લાખ વૃક્ષોરોપણનો સંકલ્પ લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સોમનાથ ટ્રસ્ટના આ સેવા યજ્ઞને આવકારી પર્યાવરણ જતનની આ પ્રેરણારૂપ પહેલ બદલ સૌને અભિનંદન આપ્યા હતા.

અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વાવે ગુજરાત અને પર્યાવરણ સુરક્ષામાં ગુજરાતની અગ્રેસરતા આગળ વધારતા એક દાયકા પૂર્વે સોમનાથમાં હરિહર વનનુ નિર્માણ કરાવ્યું હતું. સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તરીકે પણ હાલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હોય તેમના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટ અનેક સેવાકીય કાર્ય હાથ ધરી રહ્યું છે.

મુખ્યમંત્રીએ ગૌશાળા ચંદન વન ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. તેઓ દ્વારા બોરસલ્લીની કલમનું સોમનાથ ગૌશાળા ખાતે રોપણ કરવામાં આવ્યું હતું. આ તકે તેમની સાથે રાજયના મુખ્યસચિવ પંકજ કુમાર, પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા, સોમનાથ ટ્રસ્ટના કો-ઓર્ડીનેટર યશોધરભાઈ ભટ્ટ, ભાવેશભાઈ વેકરિયા, સોમનાથ ટ્રસ્ટના મેનેજર વિજયસિંહ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.

(10:51 am IST)