Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

રંગોળી દ્વારા જનરલ બિપીન રાવતને શ્રધ્‍ધાંજલી અર્પતા જામનગરના કલાકાર મિતલ ધોરેચા

જામનગર : એક દુઃખદ વિમાન દુર્ઘટનામાં શહિદ થયેલ દેશના જનરલ બિપીન રાવતને પ્રજાસત્તાક પર્વે શ્રધ્‍ધાંજલી અર્પવા ર.પ બાય ૩ ફુટની ચિરોડીના રંગોથી તેમની રંગોળી બનાવવામાં આવી છે. ૧૮ કલાકની જહેમતથી જનરલની આબેહુબ તસ્‍વીરને રંગોળીમાં કંડારી છે. જામનગરનો આ યુવા કલાકાર ર૦૦૩ થી આવી અનેક કલાકૃતિ બનાવી લોકો સમક્ષ રજૂ કરી રહ્યો છે, તેમજ શહેરમાં વોલ પેન્‍ટીંગ સહિતના અનેક પ્રકારના ચિત્રો દ્વારા દેશના રાષ્‍ટ્રીય અને ધાર્મિક પર્વ લોકોમાં જનજાગૃતિ લાવવા પ્રયાસ કરે છે. ગત વરસે સ્‍વાતંત્ર્યદિને ભારતના ઓલમ્‍પીક વિજેતાઓની વિશાળ રંગોળી રજૂ કરી હતી.

 

(10:30 am IST)