Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

દરબાર જુવાનિયાઓ કયારે જાગશેઃ જામ સાહેબ

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., ૨૭:  જામનગરના જામસાહેબ શ્રી શત્રુશલયજી મહારાજે જણાવ્યું છે કે જામનગરના દરબારોને હું કહેવા માંગુ  છુ કે તમે જુઓ આપણા વડાપ્રધાન કે જે નથી દરબાર અને નથી હાલારી પણ તેમ છતાં એમને પાઘડી માથા ઉપર બાંધી અને ઓફીશીયલ કાર્યક્રમમાં હાજરી આપી.

હું એમ માનુ છું કે એમને આપણા ઇતિહાસમાં જોયુ હશે કે મુસલમાન સિપાહીઓ સાફો બાંધતા અને હિંદુ લડવૈયાઓ નોખી-નોખી જાતની પણ હંમેશા પાઘડી બાંધતા.

દાખલા તરીકે આપણે સૌરાષ્ટ્રમાં માત્ર જુનાગઢ, માંગરોળ અને માણાવદરના સિપાહીઓ સાફો બાંધતા. બીજા બધાય રજવાડાના સિપાહીઓ પાઘડી બાંધતા. તો હવે આપણા યુવકો ખાસ કરીને દરબાર જુવાનીયાઓ કયારે જાગશે? આપણા વડાપ્રધાનના દાખલાને માન તો આપો તેમ અંતમાં જામસાહેબ શ્રી શત્રુશલ્યજી મહારાજે જણાવ્યું છે.

(1:01 pm IST)