Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

ભાવનગરના સમઢીયાળામાં અંબાજીનો પાટોત્સવ ઉજવાયો

 ભાવનગર : અહીના મુંજપરા પરિવાર દ્વારા સમઢીયાળા મુકામે માં અંબાજીનો ૬૦મો પાટોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. હવનમાં આહુતી મુખ્ય યજમાન શ્રીમતી બીનાબેન મનોજભાઇ મુંજપરા પરિવારે આપેલ તેમજ હવનમાં આહુતી અનીલભાઇ બંકાણી તથા શ્રીમતી કોકીલાબેન વંકાણીએ આપેલ. આ પ્રસંગે અંબાજીના ભજનો અનિલભાઇએ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. મહાપ્રસાદના દાતા મનુબેન મગનભાઇ મુંજપરા તથા ત્રિભુવનભાઇ નાનુભાઇ રહેલ.કાર્યક્રમની સફળતા માટે જયંતીભાઇ કરશનભાઇ મુંજપરા, બાબુભાઇ મુંજપરા, રબારીકા તેમજ નગીનભાઇ મુંજપરા, હરીશભાઇ મુંજપરા, મનોજભાઇ, કિશોરભાઇ, જીતુભાઇ, હર્ષદભાઇ, અમિતભાઇ, કાર્તિકભાઇ, સંજયભાઇ, મયુરભાઇ, વિજયભાઇ, અભિષેકભાઇ, ધર્મેશભાઇ, તુલશીભાઇ, વિનુભાઇ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(11:59 am IST)