Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

પતિ સાથે બોલચાલી થતાં મેંદરડાની મહિલાનો ગળાફાંસો

ડુંગરપુરના યુવાનનું ઝેરી દવા પીતા મોત

જૂનાગઢ તા. ૨૭ : પતિ સાથે બોલાચાલી થતાં મેંદરડાની મહિલાએ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી.

મેંદરડાના નાજાપુર રોડ પર આવેલ ગોપાલનગરમાં રહેતા જીતેન્દ્રભાઇ બચુભાઇ જેઠવાના બાળકો મેંદરડા ખાતે અભ્યાસ કરે છે. પરંતુ જીતેન્દ્ર જેઠવાના પત્ની સુમીતાબેન (ઉ.વ.૩૫)ને મેંદરડાને બદલે જુનાગઢ રહેવા જવું હોય તેથી આ બાબતે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઇ હતી.

આ ઝઘડાનું માઠું લાગી આવતા સુમિતાબેનને પોતાની મેળે ઘરમાં દોરી વડે લટકીને ગળાફાંસો ખાય લીધો હતો. વિશેષ તપાસ પોલીસે હેડ કોન્સ્ટેબલ કે.બી.ચુડાસમા ચલાવી રહ્યા છે.

મોત

જુનાગઢ તાલુકાના ડુંગરપુર ગામના કિશોરભાઇ નરસીભાઇ સરવૈયા (ઉ.વ.૪૭)નું કોઇ કારણસર ઝેરી દવા પીવાથી મોત થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:58 am IST)