Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

જસદણના ગઢડીયાની કોળી પરીણીતાને આપઘાત માટે મજબુર કરનાર દેરાણી સામે ગુન્હો નોંધાયો

રાજકોટ, તા., ર૭: જસદણના ગઢડીયા ગામની કોળી પરીણીતાને આપઘાત માટે મજબુર કરનાર દેરાણી સામે પોલીસમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ જસદણના ગઢડીયા ગામે રહેતી આરતીબેન કોળી નામની પરીણીતા પરમ દિ' પોતાના ઘરે ઝેરી દવા પી જતા સારવાર અર્થે રાજકોટ હોસ્પીટલમાં ખસેડાયેલ. જયાં તેનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. આ બનાવમાં મૃતક કોળી પરીણીતાના પિતા ખીમજીભાઇ લાખાભાઇ કોળી (રહે. ગઢડીયા)એ પોતાની પુત્રી આરતીને આપઘાત માટે મજબુર કરનાર દેરાણી જયશ્રીબેન જેન્તીભાઇ પરમાર (રહે. ગઢડીયા) સામે જસદણ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. 

ફરીયાદમાં જણાવેલ છે કે મારી પુત્રી આરતીએ સંતોષ ભોળાભાઇ પરમાર સાથે પ્રેમ લગ્ન કરેલ અને લગ્ન બાદ ઘરમાં નાનામોટા ઝઘડા થતા હતા તેમજ દેરાણી જયશ્રીબેન  ઘરકામ જેવી નજીવી બાબતમાં છાશવારે ઝઘડા કરી ત્રાસ આપી મારી પુત્રીને આપઘાત કરવા માટે મજબુર કરી હતી. આ ફરીયાદ અન્વયે જસદણ પોલીસે દેરાણી સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:41 am IST)