Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

જુનાગઢમાં ૮ ઝુંપડામાં આગઃ ઘરવખરી ખાખ

બહાઉદીન કોલેજ નજીક હાજીયા બાગ પાસે મજુર પરીવારમાં નાસભાગઃ જાનહાની નથી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.,ર૬:  જુનાગઢમાં આજે વહેલી સવારે આઠ ઝુંપડામાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. સદનશીબે કોઇ પ્રકારની જાનહાની થઇ ન હતી. પરંતુ મજુરોની ઘરવખરી ખાખ થઇ ગઇ હતી.

આગની દુર્ઘટના અંગે પ્રાપ્ત થયેલી વિગતો એવી છે કે જુનાગઢમાં બહાઉદીન કોલેજ પાસે આવેલ હાજીયાબાગ ખાતેના ઝુંપડાઓમાં આજે સવારે અચાનક આગ ફાટી નિકળી હતી. આગની જવાળા આઠ ઝુંપડા સુધી પહોંચી ગઇ હતી. આગ લાગતા ઝુંપડામાં રહેતા મજુર પરીવારોમાં નાસભાગ મચી ગઇ હતી.

આ અંગેની જાણ થતા મનપાના ફાયર બ્રીગેડના કર્મચારીઓ દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગથી કોઇ જાતની જાનહાની થઇ ન હતી. પરંતુ મજુર પરીવારોની ઘરવખરી ખાખ થઇ ગઇ હતી.

(3:22 pm IST)