Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

કોરોનાની કરૂણાંતિકા... દોઢ માસમાં અમરેલીના ૩ સગાભાઇના મોત

અમરેલી તા.ર૬ : જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના ઘટી રહેલા કેસોમાં આજે ફરી ઉછાળો આવ્યો છે. રાજય સરકાર દ્વારા જારી કરાયેલી યાદીમાં અમરેલીમાં ર૧ કેસ અને અમરેલી જિલ્લામાં આરોગ્ય તંત્ર  દ્વારા જાહેર કરાયા મુજબ ૧૭ પોઝીટીવ કેસ નોંધાયા છે એ સાથે જ અમરેલી જિલ્લામાં કોરોનાના કેસોની સંખ્યા સાડા ત્રણ હજારની ઉપર ૩પ૧ર સુધી પહોંચી છે. દિ ઉગે અને રોજ કોરોનાનાં દર્દીમાંથી કોઇને કોઇ ઉઠાવી જતાં યમરાજાએ આજે પણ કેર વર્તાવયો હતો. અમરેલીના ૬૪ વર્ષના સુખનાથપરામાં રહેતા કોરોના સંક્રમિત થયેલા અને એકાદ માસથી રાજકોટ સારવાર લઇ રહેલા અગ્રણી બિલ્ડરનું મૃત્યુ નીપજયુ હતુ. અત્રે ઉલ્લેખનય છે કે તેમના કોરોના સંક્રમિત બિલ્ડર ભાઇનું પણ એકાદ મહિના પહેલા હૃદય બેસી જવાથી મૃત્યુ થયુ હતુ અને તે પહેલાના ૧પ દિવસ અગાઉ આ પરિવારના સૌથી મોટો ભાઇનું પણ કોરોના વગર મૃત્યુ થયુ હતુ. આમ દોઢ માસમાં એક જ પરિવારના ત્રણ સગાભાઇઓના મૃત્યુથી અમરેલીમાં સન્નાટો છવાઇ ગયો છે.

(3:22 pm IST)