Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

ધોરાજીમાં કાલે સ્ટેશન રોડનું નવું નામ સ્વ. વિઠ્ઠલભાઇ રાદડિયા નામકરણ કરાશે

રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા ખાસ ઉપસ્થિત રહેશે

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,તા. ૨૬: ધોરાજી નગરપાલિકા દ્વારા મુખ્ય ગણાતા સ્ટેશન રોડનો નવું નામ સૌરાષ્ટ્રના ખેડૂત નેતા અને પૂર્વ સાંસદ સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયા નામકરણ બાબત ઠરાવ કરતાં નગરપાલિકાના પ્રમુખ ડી એલ ભાષા વિગેરે તમામ સભ્યોએ બહુમતીથી ઠરાવ પસાર કરતા આવતીકાલે રવિવારે સવારે દસ કલાકે બાપુના બાવલા ચોક વિસ્તારમાં વિઠ્ઠલભાઇ રાદડિયાને કાર્યાલય પાસે નૂતન નામકરણ સમારોહ યોજેલ છે આ કાર્યક્રમમાં રાજયના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા ધોરાજીના ધારાસભ્ય લલીતભાઈ વસોયા નગરપાલિકાના પ્રમુખ ડી એલ ભાષા હિન્દુ યુવા સંદ્યના પ્રમુખ હરકિશન ભાઈ માવાણી ઉદ્યોગપતિ વિપુલભાઇ ઠેશીયા ધોરાજી શહેર ભાજપ પ્રમુખ વિનુભાઈ માથુકિયા ધોરાજી યાર્ડના ચેરમેન રણછોડભાઈ કોયાણી પૂર્વ નગરપતિ વીડી પટેલ અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ધોરાજી તાલુકાના પ્રમુખ આર.સી ભૂત પૂર્વ નગરપતિ કે.પી માવાણી આરડીસી બેંકના ડીરેકટર કાંતિભાઈ જાગાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

(11:33 am IST)