Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

સુરેન્દ્રનગરમાં એક જ રાતમાં ત્રણ મકાનના તાળા તૂટયાઃ ૭૦ હજારની મતા ચોરાઇ

રતનપરની ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં ત્રાટકયા તસ્કરોઃ બે સ્થળેથી તો કાંઇ જ હાથમાં ન આવ્યું

વઢવાણ, તા.,૨૬: સુરેન્દ્રનગરના રતનપર ખાતે ઇન્દ્રપ્રસ્થ રેસીડેન્સીમાં એક જ રાતમાં ત્રણ મકાનના તાળા તુટતા રહીશોમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.

જેમાં બે ઘરોમાંથી તસ્કરોને કાંઇ હાથ લાગ્યુ નહોતું. પરંતુ બ્લોક નં. ૪૭માં રહેતા અને શિક્ષક તરીકે ફરજ બજાવતા જયેન્દ્રસિંહ કેશવલાલ પીઠવા શનિ-રવિની રજામાં તેમના વતન મુળીના ત્રિકમપરામાં ગયા ત્યારે પાછળથી તાળા તોડી તિજોરીમાંથી સોનાનો  ચેઇન, બુટી, પેન્ડલ, વિંટી, ચાંદીના છડા, કંદોરો, લકી, સિક્કો અને રોકડ સહીત રૂ. ૭૦ હજારની મતા ચોરી જવાઇ હતી.

આ અંગે ફરીયાદ નોંધાતા રાજકોટથી ફીંગરપ્રીન્ટ નિષ્ણાંતોની ટીમ પણ પહોંચી હતી. જોરાવરનગર પોલીસ મથકના ઇન્ચાર્જ પીએસઆઇ કે.ડી.કરંગીયા તપાસ ચલાવે છે.

(1:36 pm IST)