Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

વઢવાણના મુસ્લિમ યુવાનનું મૃત્યુ

ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા

વઢવાણ,તા. ૨૬: સુરેન્દ્રનગર વઢવાણ રોડ ઉપર ગેબનશા પીરની દરગાહથી ધોળીપોળ વચ્ચે આવેલા પુલ ઉપર બેફામ ઝડપે પસાર થતા ટ્રકના ચાલકે ત્યાંથી પસાર થતા બાઈક અડફેટે લેતા બાઈક ચાલક સુરેન્દ્રનગરના લક્ષ્મીપરામાં રહેતા રશીદ બશીરભાઈ નામના યુવાનનું માથામાં, પગમા ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે જ મોત નિપજેલ હોવાનું જાણવા મળે છે.ઙ્ગ

વઢવાણ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને લાશને પોસ્ટમોર્ટમ માટે વઢવાણ સરકારી હોસ્પિટલે મોકલી આગળની તપાસ શરૂ કરી અને ટ્રક અને તેના ડ્રાયવરની ધરપકડ કરવામાં આવી છે

સુરેન્દ્રનગરના વઢવાણ પુલ ઉપર થયેલ અકસ્માતમાં મૃત્યુ પામેલ રસીદ પરિવારમાં એકનો એક પુત્ર હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે પરિવારમાં દુઃખદ ઘટના બની છે દવાખાને માતા-પિતા અને પરિવાર આ અકસ્માત ની જાણકારી મળતાની સાથે દોડી આવ્યો હતો. પરિવારમાં પિતા અને પુત્ર ડબ્બા પેટી બનાવી અને વેચવાનો વ્યવસાય કરી રહ્યા છે ત્યારે પરિવારના એકના એક પુત્ર કુદરતી આફતની રીતે છીનવાઈ જતા પરિવાર ઉપર ભારે શોકની લાગણી છવાઈ જવા પામી છે ત્યારે તેની જનાજા યાત્રામાં પણ અસંખ્ય મુસ્લિમ બિરાદરોશોક ની લાગણી સાથે જોડાયા હતા ત્યારે પરિવાર ઉપર ભારે વ્રજ ઘાત સર્જાવા પામ્યો છે.સુરેન્દ્રનગર શહેરના વઢવાણ પાસે સર્જાયેલા અકસ્માતમાં મુસ્લિમ પરિવારનો યુવાન રસીદ જયારે ટ્રકના અકસ્માતમાં મોતને ભેટયો છે ત્યારે નવાઈની વાત તો એ છે કે રસીદ ના દ્યરે તેના પુત્રનો જન્મ થયો તે માત્ર હજુ બે માસનો હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે અકસ્માતની દ્યટના એટલી બધી દુઃખદ ગણાવવામાં આવી છે કે જે હજુ પુત્ર જન્મ્યો છે તેને બરાબર તેના પિતા રમાડી પણ ન શકયા તેવા શબ્દો ઉચ્ચારી અને માતા વલોપાત કરતી હતી ત્યારે અકસ્માતમાં મોતને ભેટેલા રસીદ ને માત્ર બે માસનો પુત્ર હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે તેના પરિવારમાં પણ રસીદ એકનો એક પુત્ર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

(11:17 am IST)