Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

મકરાણી-બ્લોચ સમાજનુ સંમેલન રવિવારે રાતીધારના આંગણેઃ લડાયક નેતા જહાંગીર બ્લોચનુ નેતૃત્વઃ અનેરો ઉત્સાહઃ તડામાર તૈયારીઓ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદરઃ તા.૨૬: ગીર સોમનાથ જિલ્લાના રાતીધાર (ગીર) ગામે આગામી તા.૨૮-૧૧-૨૦૨૧ રવિવારે નિવૃત પોલીસ ઈન્સ્પેકટર વજીરભાઇ અલાદાદભાઇ બ્લોચનાં નિવાસ સ્થાન ખાતે મકરાણી-બ્લોચ સમાજનુ એક અતિ મહત્વનુ સંમેલન સમાજનાં વરિષ્ઠ લડાયક નેતા - નિવૃત મામલતદાર શ્રી જહાંગીરભાઇ બ્લોચનાં નેતૃત્વતળે યોજાનાર છે.

રાતીધાર (ગીર)નાં યુવા અગ્રણી શ્રી ઇમ્તિયાઝભાઇ ગુલમહંમદભાઇ બ્લોચ આયોજિત આ સંમેલનમાં સવારે ૧૦ થી ૧૧-૩૦ મીલાદ શરીફ , બપોરે ૧૧-૪૫ થી ૨-૧૫ ન્યાઝ , બપોરે ૨-૩૦ થી ૪-૩૦ મીટીંગનુ આયોજન કરાયું છે.

સંમેલનમાં મકરાણી - બ્લોચ સમાજનાં સામાજિક - શૈક્ષિણક સહિત સમાજ ઉત્કર્ષની વિસ્તૃત ચર્ચા-વિચારણા થનાર છે.સંમેલન અંગે જહાંગીર બ્લોચ મો.૯૮૨૪૨૨૩૯૭૮ / ૯૭૨૬૦ ૨૩૯૭૮ તથા ઇમ્તિયાઝ બ્લોચ મો.૯૦૯૯૧ ૫૩૬૦૭નો સંપર્ક સાધવા જણાવાયુ છે.

આ સંમેલનને સફળ બનાવવા મકરાણી-બ્લોચ સમાજનાં નિવૃત પી.આઇ.શ્રી વી.એ.બ્લોચ, નિવૃત્ત એ.એસ.આઇ.શ્રી એમ.એ.બ્લોચ, રાતીધારના પૂર્વ ઉપસરપંચ શ્રી ગુલમહંમદભાઇ બ્લોચ સહિતનાં વરિષ્ઠ આગેવાનોનાં માર્ગદર્શન તળે બહોળી સંખ્યામાં નામી-અનામી અગ્રણીઓ-કાર્યકર્તાઓ અથાગ જહેમત ઉઠાવી રહ્યા છે.

(12:34 pm IST)