Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

પોરબંદર હરિ મંદિરે પૂ. ભાઇશ્રીનું પ્રવચન સત્ર

જુનાગઢ : સાંદીપની વિદ્યાનિકેતન પોરબંદર ખાતે પરમ પૂજય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના શ્રીમુખેથી શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર ઉપર ૧૧ દીવસ પ્રવચન સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી ૬ ડીસેમ્બર સુધી પ્રતિદિન સાંજે ૪ થી ૬.૩૦ સુધી જેનું સીધું પ્રસારણ સાંદીપની ટીવી, જીઓ ટીવી, જીટીપીએલ ચેનલ અને સાંદીપનીના અન્ય મીડિયા પ્લેટફોર્મ પર કરવામાં આવશે.  મુખ્ય મનોરથી મેરઠના શ્રીમતી ગૌરીબેન વિજયજી ગોયલ પરિવાર છે. આ આયોજન કોરોનાના કારણે સરકારશ્રીની સંપૂર્ણ ગાઇડલાઇન અને આદેશ મુજબ કરવાનું હોવાથી સર્વે ભકતજનોને ટીવી અને સોશિયલ મીડિયાના માધ્યમથી ઘરે બેસીને લાભ લેવા જણાવાયું છે. (તસ્વીર : અહેવાલ : વિનુ જોશી જૂનાગઢ)  

(12:51 pm IST)