Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

જુનાગઢ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ઇન્દ્રભારતી બાપુ અને આગેવાનોની ઉપસ્થિતીમાં એસપીનો લોકદરબાર

જુનાગઢઃ ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે જુનાગઢ એસપી સૌરભસિંઘ દ્વારા લોકદરબાર યોજાયો હતો જેમાં જુના અખાડાના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગીરનાર મંડળના અધ્યક્ષ પુ. ઇન્દ્રભારતીજી મહારાજ અને મિનરાજ શૈક્ષણીક સંકુલના પ્રમુખ દાદુભાઇ કનારો અને વેપારીઓ આગેવાનો ઉપસ્થિત રહયા હતા. એસપી શ્રી સૌરભસિંઘ અને ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાનું પુ. ઇન્દ્રભારતીબાપુ અને દાદુભાઇ દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે એસીસીના વિદ્યાર્થીઓ પણ હાજર રહયા હતા અને લોકદરબારમાં વિવિધ પ્રશ્નો અંગે રજુઆત કરી હતી અને સાથે સાથે પોલીસની કામગીરીને બિરદાવી પણ હતી. જે તસ્વીરોમાં નજરે પડે છે. લોકદરબારમાં ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ અને સ્ટાફ પણ ઉપસ્થિત રહયો હતો. (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:04 pm IST)