Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

ભેસાણ પાસે રીક્ષાને એસટી બસે ઠોકર મારતા ૧નુ મોતઃ મહિલા ગંભીર

એસટી બસે ઓવરટેક કરી રીક્ષાને ઉંધી વાળી દીધી

જુનાગઢ તા. ર૬ : ભેસાણ પાસે રીક્ષાને એસટી બસના ચાલકે ઓવરટેક કરી ઠોકર લગાવી રીક્ષાને ઉંધી વાળી દેતા એક વ્યકિતનું મૃત્યુ નિપજયું હતું અને મહિલાને ગંભીર ઇજા થઇ હતી.

આ અકસ્માતની વિગતો એવી છે કે ભેસાણ ખાતે ચણાકા પ્લોટમાં રહેતા ચેતનાબેન કિશોરભાઇ હીરપરા (ઉ.વ.૪ર) તેમજ અન્ય મુસાફરો ગઇકાલે જી.જે.૧૧-એકસ ૩પ૬૭ નંબરની છે. પ્યાગો રીક્ષામાં બેસીને ભેસાણથી જુનાગઢ જતા હતા.

ત્યારે ભેસાણના રાણપુર ગામથી આગળ પહોંચતા જીજે.૧૮-ઝેડ-પ૯૧૭ નંબરની એસટી બસના ચાલકે તેની  બસ પુરઝડપે રીક્ષાનો ઓવરટેક કરેલ પરંતુ સામેથી વાહન આવી જતા એસટી બસનો પાછળનો ભાગ રીક્ષા સાથે અથડાયો હતો જેના કારણે રીક્ષા પલ્ટી મારી ગઇ હતી.

આ અકસ્માતમાં વિજયાબેન નામની મહિલાને પગમાં ગંભીર ઇજા થઇ હતી અને બાલુનાથ સવાનાથ નામની વ્યકિતનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજયું હતું.

અકસ્માતની વિશેષ તપાસ ભેસાણના પીએસઆઇ એમ.સી. ચુડાસમા ચલાવી રહ્યા છ.ે

(1:04 pm IST)