Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

વાંકાનેરમાં દવે પરિવાર આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહની પુર્ણાહુતી

વાંકાનેર તા.૨૬ : ભાટીયા સોસાયટીમાં બ્રાહ્મણ જ્ઞાતિની વાડીમાં સ્વ.વસંતરાય ઘેલારામ દવે પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહની ગઇકાલે પુર્ણાહુતી થયેલ હતી. આજે દશાંશયજ્ઞ યોજાયો હતો.

દવે પરિવાર આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહમાં વ્યાસપીઠ પર રાજકોટ વારા પુષ્ટીમાર્ગી ભાગવતાચાર્ય પ.પુ.શાસ્ત્રીજી ભાવેશભાઇ પંડયા (મુખ્યાજી દાદા) આ સંગીતકારો ગજેન્દ્રભાઇ નિમાવત, હીરેનભાઇ સહિતના કલાકારોના સંગીતના સથવારે પોતાના મધુરકંઠે ભાગવત ભગવાનનું રસપાન કરાવેલ આ ઉપરાંત કથામાં આવતા એક એક પ્રસંગોને દ્રષ્ટાંત સાથે અને રામ જન્મ, કૃષ્ણ જન્મ, કૃષ્ણલીલા, ગોવર્ધન લીલા, રૂક્ષ્મણીવિવાહના સહસ્ત્રપાત્ર સાથે ભવ્યતાથી ઉત્સવો ઉજવવામાં આવેલ. આ પ્રસંગોમાં દવે પરિવારના કીરીટભાઇ, દિલીપભાઇ, રાહુલભાઇ અને તેમનો પરિવાર તથા આમંત્રીત સર્વે મહેમાનોએ મનમુકીને ઉત્સવોને ભવ્યતાથી ઉજવ્યા હતા અને ધર્મ ભકિત સાથે ધર્મોત્સવ માણ્યો હતો.  દવે પરિવારજનો દ્વારા શાસ્ત્રીજી ભાવેશભાઇ પંડયા ઉપરાંત કથામાં સાથે રહેલા કનુઅદા જાની, પ્રદિપભાઇ વ્યાસ સહિતના બ્રહ્મદેવો અને અગ્રણીઓનું સન્માન કર્યુ હતુ.

(11:47 am IST)