Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

સુરેન્દ્રનગરના દુધરેજથી અંબાજી-ગબ્બર સુધીની પદયાત્રા

વઢવાણ : ઝાલાવાડનાં દુધરેજથી અંબાજી ગબ્બર સુધીનીઙ્ગ ૩૦૦ કિલોમીટરની સતત ૪૧મી પદયાત્રા માધાણી ક્ષત્રિય પરિવારનાં શ્રી નરેન્દ્રસિંહ દ્યનશ્યામસિંહજી રાણા (દુધરેજ, હાલ રાજકોટ - અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાનાં પ્રમુખશ્રી) દ્વારા તા. ૨૪/૧૧/૨૦૧૯, રવિવારે સંપન્ન થઇ અને વહેલી સવારે ૪.૪૫ ગબ્બર અંબાજી માતાજીએ ધજા ચડાવી જય અંબેનો જયદ્યોષ કર્યો. ૬ દિવસની પદયાત્રામાં નરેન્દ્રસિંહજીનાં સુપુત્ર એડવોકેટશ્રી યોગીરાજસિંહ રાણા, દુધરેજનાં શ્રી દલજીતસિંહ કિશોરસિંહ રાણા, શ્રી સાવનગીરી ગોસ્વામી (વઢવાણ), શ્રી નરોત્ત્।મભાઈ મીઠાપરા, શ્રી કાનજીભાઈ મીઠાપરા, શ્રી મિલન પ્રેમચંદભાઇ શેઠ (માંડલ) તથા અન્ય ભાઇઓએ લાભ લીધો. પદયાત્રા દરમિયાન માલસામાન તથા જરૂરિયાતની વસ્તુઓ લઇ જવા માટે નિૅંસ્વાર્થભાવે ગાડીની વ્યવસ્થા શ્રી અજયભાઇ મીઠાપરાએ કરી હતી તથા ગામેગામ નામી-અનામી લોકોએ માનવતાની દ્રષ્ટિએ જે સહકાર આપ્યો  પદયાત્રા પૂર્વે વઢવાણ નિવાસી અને હાલ રાજકોટ ખાતે બિરાજતા શ્રી સિધ્ધ ગાયત્રી શકિતપીઠનાં ગાદીપતિ પૂજય ગુરુદેવ સ્વરૂપાનંદજી - માડીએ શુભાશીર્વાદ પાઠવ્યા હતા.(તસ્વીર : અહેવાલ : ફઝલ ચૌહાણ,વઢવાણ)

(11:43 am IST)