Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

હાસ્ય કલાકાર-લેખક ડો. જગદીશ ત્રિવેદીનું સન્માન

સુરેન્દ્રનગર ખાતે આનંદભુવન ખાતે ગુજરાતના ગૌરવસમાન હાસ્યકલાકાર, લેખક અને દાનવીર કલાકાર જગદીશ ત્રિવેદીનું સન્માન થયું હતું. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ આઇ.કે. જાડેજા, પ્રભારી, નીતિનભાઇ ભારદ્વાજ તેમજ જિલ્લા પ્રમુખ દિલીપભાઇ પટેલ દ્વારા જગદીશ ત્રિવેદીને ફુલહાર, શાલ અને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જગદીશ ત્રિવેદી છેલ્લાં એક વર્ષથી પોતાના દેશ-પરદેશનાં કાર્યક્રમોની તમામ આવક ગરીબોનાં આરોગ્ય અને શિક્ષણ પાછળ દાન કરે છે.(૧.૪)

(11:50 am IST)