Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

પરેશ ધાનાણીના ગઢમાં પહોંચ્યા લાલજી પટેલ : પાટીદારોને એક થવા હાકલ : અનામત મુદ્દે મહાસંમેલન બોલાવવા એલાન

વડિયાના તોરી ગામે લાલજી પટેલે લોકસભામાં ભાજપને પરાસ્ત કરવા હુંકાર કર્યો

અમરેલી ;વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢમાં એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે પાટીદારોને કે થવા હાકલ કરીને અનામત મામલે મહાસંમેલન બોલાવવા એલાન કર્યું હતું અમરેલીના વડીયા તાલુકાના તોરી ગામે એસપીજી અધ્યક્ષ લાલજી પટેલએ પાટીદાર સ્નેહ મિલન કાર્યક્રમમાં કલ્પસર યોજના, પાટીદાર અનામત અને રામ મંદિર તેમજ આગામી લોકસભા ચૂંટણી બાબતે પાટીદારોને માર્ગદર્શન આપ્યું હતું. આ સ્નેહ મિલનમાં તોરી અને આસપાસના મોટી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહ્યાં હતા.

    એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે પાટીદારોને એક થવા હાંકલ કરી હતી. અને મહારાષ્ટ્રમાં અનામત આપે તો ગુજરાતમાં કેમ નહીં. તે બાબત પર ભાર મૂકી સમગ્ર ગુજરાતમાં મહાસંમેલન બોલાવવાની જાહેરાત કરી હતી. તેમજ આગામી લોકસભામાં ભાજપને પરાસ્થ કરવાનો હુંકાર કરી કહ્યું હતું કે  રામ મંદિરના નામે ભાજપ નાટક કરે છે તે બાબતે આકરા પ્રહારો કર્યા હતા. જોકે  રામ મંદિર બનવું જ જોઈએ તે બાબતને સમર્થન આપ્યું હતું.

(9:02 am IST)