Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

ભચાઉના નેર ગામે મંદિરમાં અનુસૂચિત જાતિના લોકોને પ્રવેશ બાબતે હુમલો

ટોળાએ લોકોના ઘરમાં ઘૂસી હુમલો કર્યો હોવાનો આક્ષેપ : ૬ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા

કચ્છના ભચાઉ તાલુકાના નેર ગામે આવેલા એક મંદિરમાં અનુસૂચિત જાતિના લોકોને મંદિરમાં પ્રવેશ કરવા બાબતે માર મરાયો હતો. રામ મંદિરમાં પ્રવેશ કર્યા હોવાનો મનદુખ રાખી ટોળાએ લોકોના ઘરમાં ઘૂસી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે જે બાદ ૬ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

(12:12 am IST)