Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

જૂનાગઢના ત્રિકમદાસ બાપુ અન્નક્ષેત્રની મુલાકાતે પૂ. મોરારીબાપુ

જુનાગઢ:::: જૂનાગઢના ભવનાથ તળેટી વિસ્તારમાં આવેલ સદગુરુ શ્રી ત્રિકમ દાસ બાપુ અન્નક્ષેત્રની મુલાકાતે પૂજ્ય મોરારીબાપુ પધાર્યા હતા.મહામંડલેશ્વર પૂ. જગજીવનદાસ બાપુએ પૂ. મોરારીબાપુનુ સ્વાગત કર્યું હતું આ અન્નક્ષેત્રમાં ભગવાન શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ અને સદગુરુ શ્રી ત્રિકમદાસ બાપુની ચિત્ર પ્રતિમાઓને પૂજ્ય મોરારીબાપુએ પુષ્પો અર્પણ કર્યા હતા ત્યારબાદ ગાંઠીયા અને મરચાનો અલ્પાહાર લીધો હતો આ મુલાકાત દરમિયાન પૂ. મોરારીબાપુના સેવક જેન્તીભાઇ ચાંદ્રા પણ સાથે રહ્યા હતા અને સૂર્ય મંદિરના મહંત મહામંડલેશ્વર પૂ. જગજીવન દાસ બાપુ પૂ. વિશ્વેશદાસ બાપુ પૂ. મયુરબાપુ સહિતનાએ પૂ. મોરારીબાપુને ભાવ વંદના કરી હતી.( અહેવાલ: વિનુ જોશી તસવીર મુકેશ વાઘેલા જુનાગઢ)

(3:52 pm IST)