Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

મોરબી-વાંકાનેર હાઇવે પર બંધ ટેન્કર પાછળ બાઇક ઘુસી જતા સંજયભાઇ ઉકેડીયાનું મોત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૨૬: મોરબી થી વાંકાનેર નેશનલ હાઈવે પર જાંબુડીયા નજીક બંધ પડેલ ટેન્કર સાથે મોટર સાઈકલનો અકસ્માત થતા યુવાનનું મૃત્યુ નીપજયું હતું.

મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપર ગામે રહેતા ભરતભાઈ ભગવાનજીભાઈ ઉકેડીયા (ઉ.૩૬) એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે સંજયભાઈ ભગવાનજીભાઈ ઉકેડીયા (ઉ.૨૫) એ પોતાની મોટર સાઈકલ હોન્ડા સાઈન જીજે ૦૩ એફએલ ૮૧૦૧ પુર ઝડપે ચલાવીને જાંબુડિયા નજીક નેશનલ હાઈવે પર અગાઉથી બંધ પડેલ ટેન્કર એનએલ ૦૧ એન ૨૧૪૦ ના ફરતે હાઈવેના રેડીયમ વાળા સેફટી કોન રાખેલ હોવા છતાં ટેન્કરની પાછળના ભાગે ધુસી જતા સંજયને માથાના ભાગે ઈજાઓ થતા તેનું મૃત્યુ નીપજયું હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(3:13 pm IST)