Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

પોરબંદર રિવરફ્રન્ટમાં કાલે પૂ.લાલબાપુના સ્વાગત બાદ ભજનો અને રાસની રમઝટ સાથેની શોભાયાત્રા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા. ૨૬: આવતીકાલે રિવરફ્રન્ટમાં પૂ. લાલબાપુના સ્વાગત બાદ બાઇક અને કાર સાથેની શોભાયાત્રા નીકળશે. શોભાયાત્રામાં મણિયારો રાસ તથા ભજનોની રમઝટ બોલશે.

ગધેથળ આશ્રમના પરમ વંદનિય સંત સૌ પ્રથમ વખત આશ્રમની બહાર અને ખાસ કરીને પોરબંદરના આંગણે પધારી રહ્યાં છે. પૂજય લાલબાપૂના દર્શન કરવા માટે લોકો થનગની રહ્યાં છે. આવતીકાલે ર૭મીના રોજ સવારે ૯ કલાકે પૂજય લાલબાપૂ પોરબંદરની પાવન ભૂમિ ઉપર પોતાના ચરણ મુકશે. રિવરફ્રન્ટ ખાતે તેમનું ભકિતરસ સાથે સ્વાગત કરવામાં આવશે. રિવર ફ્રન્ટ ખાતેથી પૂજય લાલબાપૂ રાષ્ટ્રીય સંત રમેશભાઇ ઓઝા સહિતના સંતો, મહંતો સાથેની શોભાયાત્રા નિકળશે જે શહેરના રાજમાર્ગો પરથી પસાર થશે અને અનેક સ્થળોએ સંતોનું સ્વાગત કરવામાં આવશે. મોટી સંખ્યામાં બાઇક અને કાર સાથેની શોભાયાત્રામાં મહેર સમાજના યુવાનોનો મણિયારો રાસ તેમજ ભજનની રમઝટ બોલશે અને આ શોભાયાત્રા છાંયા દરબારગઢ ખાતે પહોંચશે જયાં વિરામ પામશે. પૂજય લાલબાપુ સહિતના સંતો, મહંતો દરબારગઢમાં બિરાજતા વિંઘ્યવાસીની માતાજીના દર્શન કરશે.

આ શોભાયાત્રા બાદ ર૭ના સાંજે પ કલાકે વાડી પ્લોટ ખાતે નવનિર્મિત રાજપૂત સમાજનું લોકાર્પણ પૂજય લાલબાપૂના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે રાજપૂત સમાજ દ્વારા પૂજય લાલબાપૂનું સ્વાગત કરવામાં આવશે. તા.ર૮મીના રોજ સાંજે પ કલાકે ઓડદર રોડ ઉપર આવેલા રાજવી પાર્ટી પ્લોટ ખાતે એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે હિન્દુ સમાજ અને મુસ્લિમ  સમાજ તેમજ સંસ્થાઓ દ્વારા પૂજય લાલબાપૂનું સ્વાગત કરવામાં આવશે. ધર્મસભાના પ્રારંભે રાજશાખા દ્વાર તિલકવિધિ કરવામાં આવશે.

આ ધર્મસભાનું લાઇવ પ્રસારણ જીટીપીએલની લોકલ ચેનલ-૯૮૩, તેમજ જીટીપીએલની રીઝીનલ ચેનલ-પપપ ઉપર લાઇવ પ્રસારણ સાંજના પાંચ વાગ્યાથી કરવામાં આવશે. આ ધર્મસભાનો દરેક લોકો ઘરબેઠા લાભ લઇ શકશે. આ ધર્મસભા માટે સુદામાચોકથી રાજવી પાર્ટી પ્લોટ સુધી બસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પૂજય સંત લાલબાપૂ પોરબંદરના આંગણે પધારી રહ્યાં છે ત્યારે તેમને વંદનસાથે આવકારવા શહેરના માર્ગો ઉપર બેનર અને હોર્ડિંગ્સ લગાડવામાં આવ્યા છે.

(3:13 pm IST)