Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

ભાવનગરમાં અમૃત જાદવે દુષ્કર્મ આચર્યુઃ૨ જગ્યાએથી સગીરાને ભગાડી જવાઇ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૬ : ભાવનગરમાં યુવતી સાથે દુષ્કર્મ આચર્યાની એક યુવાનસામે ફરીયાદ થઇ છે. જયારે બે સગીરાને ભગાડી ગયાની ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર શહેરના કુંભરવાડ વિસ્તારમાં રહેતી ૧૯ વર્ષની યુવતી સાથે અક્ષરપાર્કમાં રહેતો અમૃત પ્રકાશભાઇ જાદવ નામના યુવાને લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી તા.૨પ-૧૦-૨૦ થી તા.૬-૯-૨૧ના સમયગાળા દરમ્યાન અવાર નવાર તેણીના ઘેર આવી દુષ્કર્મ આચર્યુ હતુ. આઅંગે ડી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ  નોંધાવાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ભાવનગર જીલ્લામાં સગીરાને ભગવાડયાના બે બનાવો પોલીસ દફતરે નોંધાયા છે જેમાં સિહોર નજીક ઘાંઘળી પંથકની સગીરાનું કોઇ સમક્ષ વ્યકિત ભગાડી ગયાની સગીરાની માતાએ સિહોર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. જયારે બીજા બનાવમાં સિહોર પંથકની સગીરાને પાલીતાણાના દરજી ઢોરા વિસ્તારમાં રહેતો રવિ રમેશભાઇ વળીયા નામનો શખ્સ ભગાડી ગયાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

(11:43 am IST)