Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

જામનગરના ભૂમાફીયા જયેશ પટેલનાં ૩ સાગરીતો વધુ રિમાન્ડ માટે રાજકોટ કોર્ટમાં રજૂ

તસ્વીરમાં આરોપીઓને રાજકોટ લઇ જવાયા તે નજરે પડે છે (તસવીર :કિંજલ કારસરીયા, જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૨૬: જામનગરમાં બહુચર્ચિત ભુમાફિયા જયેશ પટેલના ૩ સાગ્રીતોના ખાસ રાજકોટની કોર્ટમાં રજૂ કરવા ટીમ રવાના થઈ હતી. ગુજસીટોકના ગુન્હામાં ઝડપાયેલા ૮માંથી ૩ આરોપીઓના રિમાન્ડ પુરા થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.

૮ આરોપીઓ માંથી ૫ આરોપીઓના૧૨ દિવસના રિમાન્ડ પર છે. અને ૩ આરોપીઓના ૯ દિવસના રિમાન્ડ કરાયા મંજૂર કરાયા હતા.જે આજે પુરા થતા ૮ માંથી ત્રણ આરોપીઓને રાજકોટ ખાતે કોર્ટમાં વધુ રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવા લઈ જવાયા હતા.

૮ આરોપીઓમાંથી નિલેશ ટોલીયા, અતુલ ભંડેરી, પ્રવિણ ચોવટીયા,અનિલ પરમાર અને વસરામ મિયાત્રાના ૧૨ દિવસના રિમાન્ડ પર છે. જે ગુરુવારે પુરા થાય છે.

જયારે પ્રફુલ પોપટ,મુકેશ પટેલ અને જીગર આડતિયાના ૯ દિવસના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા હતા.

જેથી ત્રણેયના રિમાન્ડ પુરા થતા રાજકોટની સ્પેશિયલ કોર્ટમાં ત્રણેય આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લઈ જવાયા હતા.

(12:52 pm IST)