Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

ભાવનગર-ઉના-કોડીનારમાં ૧, ખાંભામાં અડધો ઇંચ

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મિશ્ર વાતાવરણ યથાવતઃ સાવરકુંડલામાં ધીમીધારે વરસાદ

રાજકોટ તા. ર૬ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે પણ વાતાવરણમાં પલ્‍ટો યથાવત છે. આજે ભાવનગર તથા ગીર સોમનાથ જિલ્લાના ઉના, કોડીનારમાં એક ઇંચ તથા અમરેલી જીલ્લાના ખાંભામાં અડધો ઇંચ વરસાદ વરસ્‍યો છે.

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મિશ્ર વાતાવરણ યથાવત છે. અને ધુપ-છાંવ બરકરાર રહે છ.ે

આવા વાતાવરણ વચ્‍ચે ભાવનગરમાં એક ઇંચ વરસાદ પડયો છે. જયારે અમરેલી જીલ્લાના ખાંભામાં અડધો ઇંચ વરસાદ વરસ્‍યો  છે.

ગીર સોમનાથ જીલ્લાના ઉના તથા કોડીનારમાં એક ઇંચ વરસાદ પડયો હતો જયારે સુત્રાપાડા, ગીરગઢડા અને તાલાલામાં ઝાપટારૂપ. વરસાદ વરસ્‍યો હતો.

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલાઃ અમરેલી જીલ્લાના સાવરકુંડલામાં આજે બપોરના ૧.૪પ વાગ્‍યા આસપાસ ધીમીધારે વરસાદ શરૂ થતા રસ્‍તા ઉપર પાણી ફરી વળ્‍યા હતા.

(4:50 pm IST)