Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

વૈદિક ઋષિ પરંપરા સાથેનો નવરાત્રી રાસોત્‍સવ : જૂનાગઢમાં વિશિષ્‍ટ આયોજન

સમગ્ર સૌરાષ્‍ટ્ર-ગુજરાતમાં સૌપ્રથમ વખત : સમસ્‍ત બ્રહ્મસમાજ આયોજીત આ મહોત્‍સવમાં એક તરફ દિકરીઓમાં જગદંબાની આરાધના સાથે ગરબે ધુમશે બીજી તરફ સંસ્‍કૃત શ્‍લોકો સાથે હોમાત્‍મક સહષાી ચંડી પાઠનું આયોજન

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ,તા. ૨૬ : પુરા સૌરાષ્ટ્ર - ગુજરાતમાં વેદોક્‍ત નવરાત્રીની નવી એક રસમ સાથે એક તરફ દિકરીઓ રાસ રમી ગરબે ઘુમતી હોય બીજી તરફ યજ્ઞકુંડમાં સ્‍વાહા... સ્‍વાહાની આહુતિઓ અપાતી હોય તે પ્રકારનું નવરાત્રી રાસોત્‍સવનું વિશિષ્ટ આયોજન સોરાષ્ટ્ર - કચ્‍છ સમસ્‍ત બ્રહ્મ સમાજ જૂનાગઢ દ્વારા કરવામાં આવ્‍યુ છે.

તા.ર૬ થી પ ઓક્‍ટોબર સુધી જૂનાગઢના ચોબારી ફાટક પાસે આવેલ બાલાજી ફાર્મ ખાતે યોજાનાર બ્રહ્મ રાસોત્‍સવ - ર૦રર તથા શ્રી સહરત્ર ચંડી હોમાત્‍મક યજ્ઞ અંતગત વેદિક ત્રદષિ પરંપરા સાથે દિકરીઓ પરંપરાગત વરત્રો ધારણ કરી ગરબે ઘુમશે સાથે-સાથે રાત્રીના ૪ વાગ્‍યા સુધી મધ્‍યરાત્રી સુધી વેદોક્‍ત મંત્રોચ્‍ચાર સાથે હોમાત્‍મક સહરત્ર ચંડી યજ્ઞ પણ યોજાશે. જેમાં વિદ્વાન આચાર્યની આગેવાની હેઠળ ૩૫ જેટલા ભૂદેવો હોમાત્‍મક વિધિમાં ભાગ લેશે. આ સમગ્ર આયોજન અંગે આજે યોજાયેલ પત્રકાર પરિષદમાં સોરાષ્ટ્ર - કચ્‍છ સમસ્‍ત બ્રહ્મસમાજના આગેવાન જિલ્લા પ્રમુખ કે.ડી.પંડયા, વરિષ્ઠ આગેવાન પુનિત શર્મા, જૂનાગઢ મહાનગર પ્રમુખ પ્રફુલભાઈ જોષી તેમજ સોરાષ્ટ્ર - બ્રહ્મ સમાજના વરિષ્ઠ આગેવાન છેલભાઈ જોષીએ સંયુક્‍ત પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્‍યુ હતું કે ભૂદેવોની ત્રદષિ પરંપરા તેમજ વેદિક કાળની જીવંતતા સાથે યોજાનાર દિકરીઓના આ રાસોત્‍સવમાં વરિષ્ઠ કથાકાર પૂ.રમેશભાઈ ઓઝા સહિતના બ્રહ્મ ઋષિઓ યજ્ઞના દશનાર્થે ઉપસ્‍થિત રહેશે. આ કાર્ય માટે કથાકાર શારત્રી નરેન્‍દ્રભાઈ જોષી, રાસોત્‍સવ પ્રોજેક્‍ટના અધિકારીઓ શૈલેષભાઈ રવિયા અને રૂપલબેન લખલાણી આ સમગ્ર વ્‍યવસ્‍થા સંભાળશે. આ રાસોત્‍સવમાં યજ્ઞ કાર્ય બાદ યજ્ઞવેદી નવરાત્રીના દિવસો દરમિયાન રોજ સવારે ધર્મપ્રેમી જનતાના દશનાર્થે ખુલ્લી મુકાશે. 

(1:28 pm IST)