Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

ગોંડલમાં જય શ્રીરામ એજ્‍યુકેશન ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા નવરાત્રીનું આયોજન

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ,તા. ૨૬: ગોંડલના ઐતિહાસિક સંગ્રામસિંહ હાઈસ્‍કૂલના ગ્રાઉન્‍ડ ખાતે નવલા નોરતામાં નવ દિવસ દાંડિયા રાસનું જય શ્રી રામ એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા આયોજન કરવામાં આવ્‍યુ છે.

ભગવત ભૂમિ ગોંડલમાં પ્રથમ વખત ફ્રી દાંડીયા રાસનું સહપરિવાર રમી શકે તેવું જય શ્રીરામ એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ પુથ્‍વીરાજ સિંહ વજુભા જાડેજા તેમજ તેની ટીમ દ્વારા શહેરના તમામ ખેલૈયાઓને પ્‍લેટફોર્મ મળે તેવા ઉમદા હેતુથી ફ્રી દાંડિયા રાસનું આયોજન કરેલ હોય શહેરમાં ખૈલૈયાઓમાં ઉત્‍સાહ પ્રવૃતી રહ્યો છે.

(11:06 am IST)