Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

જુનાગઢમાં વૃદ્ધના બંધ મકાનમાંથી રોકડ સહિત રૂ.૩૯૭૦૦ ની મતાની ચોરી

તસ્કરો કુકર તેમજ ત્રાસ પણ ચોરી ગયા

જુનાગઢ તા. ર૬ : જુનાગઢમાં વૃદ્ધના બંધ મકાનમાંથી તસ્કરો રોકડ સહિત રૂ. ૩૯,૭૦૦ ની કિંમતની માલમતા ચોરી જતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જુનાગઢમાં ઝાઝરડા રોડ પર આવેલ જીતેન્દ્ર પાર્કમાં રહેતા અશ્વિનભાઇ જયશંકરભાઇ પાઠક (ઉ.૭૦) નું મકાન તા.ર૧/૭ થી ર૪/૯ દરમ્યાન બંધ હતું.

ત્યારે તસ્કરો મકાનના દરવાજાનું તાળુ તોડીને ઘરમાં પ્રવેશ્યા હતા.

બાદમાં બેગમાંથી રૂ. ૩પ હજારની રોકડ તેમજ રસોડામાંથી રૂ.૧ર૦૦ ના રસોઇના ત્રણ કુકર તાંબા તથા સ્ટીલના ત્રાસ અને ઘડીયાળ વગેરે મળી કુલ રૂ.૩૯,૭૦૦ ની કિમતની માલમતા ચોરીને તસ્કરો ફરાર થઇ ગયા હતા.

આ અંગે વૃદ્ધે ગઇકાલે ફરીયાદ કરતા બી ડીવીઝનના પીએસઆઇ એન.જી. પરમારે તપાસ હાથ ધરી છ.ે

(3:51 pm IST)