Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

કોંગ્રેસ દ્વારા પોરબંદરથી સાબરમતી ગાંધી આશ્રમ સુધી કાલે બાઇક રેલી

ગાંધી સંદેશ સાથે બાઇક યાત્રા ગાંધી જયંતીએ સાબરમતી આશ્રમે પહોંચશેઃ પરેશભાઇ ધાનાણીની આગેવાની હેઠળ આયોજન

(પરેશ પારેખ  દ્વારા પોરબંદર, તા. ર૬ :  કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રપતિ મહાત્માગાંધીની ૧પ૦મી જન્મ જયંતિ વર્ષ ઉજવણી નિમિત્તે પોરબંદર કીર્તિમંદિરથી અમદાવાદ સાબરમતી ગાંધી આશ્રમ સુધી બાઇક રેલીનું આવતીકાલે સવારે ૧૦ વાગ્યે પ્રસ્થાન થશે. ગાંધી સંદેશ સાથેની આ રેલીની આગેવાની વિધાનસભાના વિપક્ષના નેતા પરેશભાઇ ધાનાણી સંભાળશે.

ગાંધીજીનો જન્મ ર ઓકટોબર ૧૯૬૯ના દિવસે થયેલ, તેમની જન્મ જયંતિના ૧પ૦માં વર્ષની ઉજવણી નિમિત્તે તેમનો સંદેશ ગામેગામ ફેલાવવા અને તેને નિમિત બનાવી જનસંપર્ક કરવા કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન કરાયું છે. પોરબંદરથી ગાંધીઆશ્રમ સુધીનો રૂટ ર૭પ કિ.મી. નેટલો થાય છે. તેની આગેવાની વિધાનસભાના વિપક્ષી નેતા પરેશભાઇ ધાનાણી સંભાળશે.

જયારે બીજી રેલી દાંડીથી ગાંધી આશ્રમ સુધીનો રૂટ ૪૦૦ કિ.મી. જેટલો થાય છે. તે રૂટની યાત્રાનું નેતૃત્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા કરેશ. બન્ને રેલીમાં પ્રદેશ  તરફથી પ૦-પ૦ બાઇકસ્વાર યુવાનો જોડાશે. ઉપરાંત જે તે જિલ્લાના સ્થાનિક યુવાનો જોડાતા રેલી મોટી થઇ જશે. મુખ્ય માર્ગો ઉપરાંત નજીકના ગામડાઓમાં પણ રેલી કરશે.

વિધાનસભાની પેટા ચૂંટણી આવી રહી છે તેવા ૩ થી ૪ મતક્ષેત્રો યાત્રાના રૂટમાં સમાવેશ થઇ જશે. બન્ને રેલી ૧ ઓકટોબરે રાત્રે અમદાવાદ પહોંચશે ર. ઓકટોબર સવારે બન્ને રેલી અમદાવાદના જુદા જુદા વોર્ડમાં અલગ અલગ રીતે ફરી બપોર પછી ગાંધી આશ્રમ પહોંચશે ત્યાં સમાપન સમારોહ યોજાશે.

(3:50 pm IST)