Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

ડેમો બધા છલકાય ગયા છે છતાં પણ ભાણવડમાં પાંચ-છ દિવસે પાણી વિતરણ

ખંભાળીયા, તા. ર૬ :  ભાણવડ પંથકમાં મેઘરાજાએ આ વર્ષે મહેર કરતા તાલુકાના તમામ ડેમો છલકાઇ ગયા છે તેમાં વર્તુ-ર પણ છલકાઇ ગયો ત્યારે હજુ પણ ભાણવડ શહેરમાં છ દિવસે એક વખત પાણી પાલિકા પંત્ર દ્વારા અપાતા ભારે રોષની લાગણી ફેલાઇ છે.

આ અંગે ભાણવડના પીઢ અગ્રણી રમેશભાઇ ભટ્ટ દ્વારા પાલિકા તંત્રને રજુઆત કરીને ખંભાળિયા જેવા શહેરમાં ડેમ અડધો તટેલો છે ત્યારે જો ત્રણ દિવસને બદલે એકાંતરા પાણી આપવામાં આવે છે ત્યારે ભાણવડના ડેમો છલકાઇ જવા છતાં પણ તંત્ર છ દિવસે પાણી આપે તે યોગ્ય ના હોય પાણી વિતરણનો કાપ દૂર કરવા માંગણી કરી હતી.

(1:07 pm IST)