Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

૬ ઓકટોબરના વિજયભાઇ રૂપાણી જુનાગઢમાં: વિવિધ વિકાસ કામોને બીબીમોડી આપશે

મેયર ધીરૂભાઇ ગોહેલ સહિતના પદાધિકારીઓ મુખ્યમંત્રી નિમંત્રણ પાઠવ્યું

જુનાગઢ,તા.૨૬: જૂનાગઢ મહાનગરપાલિકાના મખ્યપદાંધેકારી ઓની એક ટીમ આગામી ખાતે માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ગાંધીનગર મુકામે મુલાકાત લીધેલ હતી, જે મુલાકાત મુખ્યત્વે આગામી દિવસોમાં માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની જૂનાગઢ ખાતે ઉપસ્થિતીમાં જૂનાગઢ મહાનગરપાલિકા હસ્તકના વિવિધ વિકાસકાર્યો તથા અન્ય સુસંગત જિલ્લાવિસ્તારના વિકાસકાર્યો અને કાર્યક્રમોમાં હાજરી આપવા સંબંધીત રહેલ, સાથે સાથે જૂનાગઢના વિકાસની આગામી દિશા અંગે માન.મુખ્યમંત્રીશ્રીએ પદાધિકારીઓને માર્ગદર્શન આપેલ હતું, જે અનુસંધાને જૂનાગઢ મહાનગરપાલિકાના પદાધિકારીઓની લાગણીનેમાન આપી માન.મુખ્યમંત્રીશ્રીએ આગામી તા.૬(૬ ઓકટોબર) ના રોજ જૂનાગઢમાં ઉપસ્થિતી દાખવશે.

આમ, આગામી તા.૬ ઓકટોબરના રોજ મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતીમાં જૂનાગઢ મહાનગરના વિવિધ વિકાસકાર્યોનું ઉદધાટન / લોકાર્પણ તથા ખાતમુહર્તો કરશે.

આમ સમગ્રપણે આ શુભેચ્છા મુલાકાત સફળ રહી હતી અને આ મુલાકાત માન.મેયર ધીરૂભાઇ ગોહેલની આગેવાનીમાં ડે.મેયર હિમાંશુભાઈ પંડયા, સ્ટે.ચેરમેન રાકેશભાઇ ધૂલેશીયા, શાસકપક્ષના નેતા નટુભાઈ પટોળીયા, દંડકધરમણભાઈ ડાંગર, મહામંત્રીઓ પૂનિતભાઇ શર્મા, ભરતભાઇ શિંગાળા સહિતના પદાધિકારીઓ ગાંધીનગર મુકામે ગયા હતા તેમ યાદીના અંતમાં મેયરશ્રી કાર્યાલય ખાતેથી જણાવવામાં આવેલ છે.

(1:07 pm IST)