Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

ધોરાજીમાં સ્વામી વિવેકાનંદની ધર્મ પરિષદની ઉજવણી કરાઇ

ધોરાજી તા ૨૬  :  શ્રી લેઉવા પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટ ધોરાજી, શ્રી પટેલ વિદ્યા મંદિર, ધોરાજી તથા શ્રી પટેલ કન્યા વિનય મંદિર, ધોરાજીના સંયુકત ઉપક્રમે શાળા સ્કુલના પટાંગણમાં સ્વામી વિવેકાનંદની શિકાગો (અમેરીકા) ની વિશ્વ ધર્મ પરિષદની ૧૨૫મી વર્ષગાંઠ નીમીતે સ્વામીશ્રીના વિચારો વાગોળવાનો એક કાર્યક્રમ યોજાયેલ હતો.

કાર્યક્રમમાં રામકૃષ્ણ આશ્રમ રાજકોટથી શ્રી સ્વામી વેદનિષ્ઠાનંદજી પધારેલ હતા, તેમણે પોતાની ખુબજ રસાળ શૈલીમાં સ્વામી વિવેકાનંદની વિદેશ યાત્રા તથા ધર્મ પરિષદની વાત વિદ્યાર્થીઓ સમક્ષ રજુ કરી હતી. કહાની-ખેલ તથા ગીત દ્વારા વિદ્યાર્થીઓના મનની એકાગ્રતા કેમ જાળવી શકાય તે બાબતે સ્વામીશ્રીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપેલ હતું.

સ્વામીશ્રી  સાથે ઉપલેટાથી શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમીતીના ટ્રસ્ટીશ્રી કૈલાશભાઇ તથા ભાનુબેન પણ ઉપસ્થિત રહેલ હતા.

સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ધમશભાઇ પટેલ, સહ મેનેજીંગ ટ્રસ્ટીશ્રી જીમ્મીભાઇ પટેલ, મેનેજરશ્રી કિરણભાઇ પેથાણી, અત્યાર્યશ્રી જે.કે. ઠુમર, શ્રી કુંદનબેન ભેસાણીયા હાજર રહેલ હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુપરવાઇઝરશ્રી શોભનાબેન રામાણીએ કરેલ હતું.

(11:45 am IST)