Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

સાયલાના કેરાળાની સીમમા વિજળી પડતા ર ગાય, ૩ ભેંસના મોત

વઢવાણ તા.૨૬: હાલ ઝાલાવાડમાં ગાજવીજ સાથે મેઘરાજા મહેર કરી રહ્યા છે. ત્યારે અનેક લોકો તથા પશુઓના જીવ પણ લઇ રહ્યા છે. ત્યારે સાયલા તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો.

ત્યારે સાયલા તાલુકાના કેરાળા ગામની સીમમાં વિજળી પડતા દોડધામ મચી ગઇ હતી. જેમાં ર ગાય અને ૩ ભેંસના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જેમાં પશુ માલધારી અને બે વાછરડાના આબાદ બચાવ થયો. આ ઘટનાની જાણ ગામનાં લોકો થતાં લોકોના ટોળેટોળા એકઠાં થયા હતા.

(11:39 am IST)