Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

જિંદગીથી કંટાળી બાબરાના મેરામભાઇ સોંદરવાએ ઝેર પી આપઘાત કરી લીધો

રાજકોટ તા. ૨૬: બાબરામાં કરિયાણા રોડ પર આંબેડકરનગરમાં રહેતાં મેરામભાઇ જેઠાભાઇ સોંદરવા (ઉ.૪૧) નામના વણકર યુવાને ગઇકાલે ઝેર પી લેતાં બાબરા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાંઉ પરંતુ અહિ મોડી રાતે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલાએ બાબરા પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર મેરામભાઇ ત્રણ ભાઇ અને બે બહેનમાં બીજા હતાં. સંતાનમાં બે પુત્રી છે.

મેરામભાઇ છુટક મજુરી કરી ગુજરાન ચલાવતાં હતાં. કેટલાક દિવસોથી જિંદગીથી કંટાળી ગયાનું રટણ કરતાં હતાં અને ગઇકાલે આ પગલુ ભરી લીધું હતું.

(11:34 am IST)