Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

ભાવનગર જિલ્લા વરસાદી માહોલ :છ તાલુકામાં વરસાદ : સિહોર અને તળાજા પંથકમાં પોણો ઇંચ

પંથકમાં વરસાદને કારણે સિહોરનું ગોમેતેશ્વર તળાવ ઓવરફ્લો

ભાવનગર જિલ્લામાં સર્વત્ર મેઘમહેર જોવા મળી છે જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે જિલ્લાના છ તાલુકામાં ધીમીધારે વરસાદ વરસ્યો છે જેમાં સિહોર અને તળાજા પંથકમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો છે સિહોર પંથકમાં વરસાદને કારણે સિહોરનું ગોમેતેશ્વર તળાવ ઓવર ફળો થયું છે

 જિલ્લાના ઉમરાળા,ગારિયાધાર,સહિતના પંથકમાં વરસાદ પડ્યો છે ભાવનગર શહેરમાં પણ વરસાદી માહોલ જોવાયો હતો

 

(10:31 pm IST)