Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

જામનગરમાં મોંઘવારીનાં વિરોધમાં કોંગ્રેસ દ્વારા વોર્ડવાઇઝ પુતળા દહનઃ વિરોધ પક્ષના નેતા સહિત ૪ની અટકાયત

જામનગર : આજે કોંગ્રેસ દ્વારા વોર્ડવાઇઝ મોંઘવારીના વિરોધમાં વોર્ડવાઇઝ પૂતળા દહનનો કાર્યક્રમ રાખેલ હતો. જે અનુસંધાને આજે સવારે વિરોધ પક્ષના નેતાના વિસ્તારમાં પૂતળા દહન વખતે વિરોધ પક્ષના નેતા તથા ચાર કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે આ કાર્યક્રમ સવારે ૧૦ થી ૧ર ની વચ્ચે તમામ વિસ્તારમાં રાખવામાં આવેલ છે. તેમ શહેર કોંગ્રેસની યાદીમાં જણવવામાં આવ્યું છે.  (તસ્વીર - અહેવાલ - મુકુંદ બદિયાણી  -જામનગર)

(3:52 pm IST)