Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

ઓછો વરસાદ થતા લાલપુરને અછતગ્રસ્ત જાહેર કરવા આવેદન

પ્રાંત અધિકારી સમક્ષ ગ્રામજનોની રજૂઆત

લાલપુર તા. ર૬ : જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના મોડપરના દેવભાઇના નાવદરીયા, રીંજપરના ગોવિંદભાઇ વસરા, અને સણોસરીના  રમેશભાઇ ડાંગર સહિત ગ્રામજનોએ લાલપુરના પ્રાંત અધિકારીશ્રીને પત્ર પાઠવીને લાલપુર તાલુકામાં ઓછો વરસાદ થતા અછતગ્રસ્ત જાહેર કરવા માંગણી કરી છે.

આવેદનપત્રમાં જણાવ્યું છે કે લાલપુર તાલુકામાં ખુબજ ઓછા પ્રમાણમાં વરસાદ થયો હોય, જેથી લાલપુર તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા તેમજ જરૂરી સવલતો જેવી નર્મદાનું પાણી, પશુ માટે ઘાસચારો, તાલુકાના ખેડુતોને વીમો તથા દેવામાફી મળે માટે કાર્યવાહી કરવા માંગ કરી છે.ખેડુતો પાસેની બધી જ જમા રકમો ખેતીકામ માટે ઉપયોગ લેવાય ગયેલી હોય તેમજ વરસાદ યોગ્ય પ્રમાણમાં ન થવાથી ખેડુતોને ભારેથી અતિભારે નુકશાન સહન કરવું પડે તેમ હોવાથી તાકીદે યોગ્ય કરવા માંગ કરાઇ છે.(૬.૧૧)

(12:07 pm IST)