Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

નરેન્દ્રભાઇ ભુજ સુધી વિમાનમાં અને અંજાર હેલીકોપ્ટરમાં જશે

ભુજ તા. ૨૬ : વડાપ્રધાન નરેન્દ્રભાઈનો કચ્છના કાર્યક્રમની વહીવટીતંત્ર એ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજીબાજુ ભાજપ મા પણ ધમધમાટ વરતાઈ રહ્યો છે. રાજયમંત્રી વાસણભાઇ આહીર અને કચ્છ જિલ્લા ભાજપ એ સક્રિય થઈને કાર્યક્રમ અંતર્ગત દોડધામ શરૂ કરી દીધી છે.

કાર્યક્રમ જયા યોજાશે તે સ્થળ અંજારને અડીને આવેલા સતાપર ગામના ગોવર્ધન પર્વત ના પરિસર નીચે અંદાજિત ૪૦ હજાર લોકો વડાપ્રધાન ના કાર્યક્રમ મા ઉમટે તે માટે ભાજપ ના આગેવાનો, સંગઠન સહિત વિવિધ સેલ ના આગેવાનો અને ચૂંટાયેલા સભ્યોને જવાબદારીઓ સોંપી દેવાઈ છે. તો બીજી બાજુ જિલ્લા કલેકટર રેમ્યા મોહને અધિકારીઓની બેઠક યોજીને વડાપ્રધાનના કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

નરેન્દ્રભાઈ ખાસ વિમાનમા બપોરે ૧ વાગ્યાના અરસામાં ભુજ એરપોર્ટ પર ઉતરશે અને ભુજથી અંજાર સુધી હેલિકોપ્ટર માં જશે. અંજારમાં મુંદરાથી વાંકાનેર જતી કચ્છ સૌરાષ્ટ્રમાં CNG ગેસ પહોંચાડનાર GSPL ની પાઇપ લાઈનનું રિમોટ કન્ટ્રોલ દ્વારા લોકાર્પણ કરશે તે ઉપરાંત ભુજ- ખાવડાના નેશનલ હાઈવેનું ભૂમિપૂજન, જેટકો દ્વારા નિર્માણ પામેલ વીજ સબસ્ટેશનનું લોકાર્પણ કરશે.(૨૧.૧૬)

(12:04 pm IST)