Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

ઉના : બ્રહ્મસમાજ વિશે ટીપણી કરનારા સામે પગલા લેવા મુખ્યમંત્રીને આવેદનપત્ર

ઉના, તા. ર૬ : કચ્છ-ભુજમાં રેલીમાં બ્રહ્મસમાજ ઉપર અભદ્ર ટીપણીને વખોડી કાઢી ઉના તાલુકા બ્રહ્મસમાજે મુખ્યમંત્રીને સંબોધેલ આવેદનપત્ર આપ્યું અને પગલા ભરવા માંગણી કરી હતી.

કચ્છ-ભુજના નખત્રાણા તાલુકા રેલીમાં બ્રહ્મસમાજ ઉપર અભદ્ર ટીપણી કરેલ હોય તેને ઉના શહેર તાલુકા બ્રહ્મસમાજ સખત શબ્દો વખોડી કાઢી સરકાર પગલા નહીં લે તો સમાજ દ્વારા આ બાબતે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે. આ આવેદનપત્ર ઉના બ્રહ્મસમાજના અગ્રણી ચંદ્રેશભાઇ એન. જોષી (રાધે), કિરણભાઇ એન. મહેતા, નવીનભાઇ જે. જોશી, અજયભાઇ પંડયા, દિવ્યકાંતભાઇ આર. જાની, રાકેશભાઇ આર. દવે સહિત મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના આગેવાનો પ્રાંત કચેરીએ જઇ પ્રાંત અધિકારીના પ્રતિનિધિ જોષીભાઇને આપી. વિરોધ કર્યો હતો. નકલ જીલ્લા કલેકટરશ્રી, તથા ઉચ્ચ અધિકારીઓને મોકલી વિરોધ પ્રદર્શીત કર્યો હતો. (૮.૪)

(9:52 am IST)