Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

દેલવાડા-જૂનાગઢ-વેરાવળ મીટર ગેજ બંધઃ ટ્રેઇન ફરી શરૂ : ડ્રાઇવર-ગાર્ડનું સ્વાગત

ઉના, તા. રપ : દેલવાડા-જુનાગઢ-વેરાવળ મીટર ગેજ બંધ ટ્રેઇન ફરી શરૂ થઇ છે.જુલાઇ-૧૮માં ભારે વરસાદથી રેલ્વે ટ્રેકનું ધોવાણ અને નુકશાન થતાં બે માસથી રેલ્વે તંત્રએ દેલવાડા-જુનાગઢ દેલવાડા-વેરાવળ મીટર ગેજ ટ્રેન બંધ કરી દેતા ૭થી વધુ તાલુકાની પ્રજાને મુશ્કેલી પડતી હતી. અંતે ટ્રેકનું કામ રીપેરીંગ કામ પુરૂ થતાં સવારે જુનાગઢથી ઉપડેલ મીટર ગેજ ટ્રેન બપોરે દેલવાડા રેલ્વે સ્ટેશને આવી પહોંચતા દેલવાડા ગ્રામ પંચાયતના ઉપસરપંચ હાજી સબીરશા બાનવા ટ્રેનના ગાર્ડ ડી.આર. જેઠવા ટ્રેનના બન્ને ડ્રાઇવરનું પુષ્પ આપી ટ્રેનનું સ્વાગત કર્યું હતું.

સ્ટેશન માસ્તર પરેશભાઇ સોંદરવાનો રેલ્વે ડીવીઝનનો આભાર વ્યકત કરી આ ટ્રેનમાં ભારે ટ્રાફીક રહેતો હોય વધુ બે ડબા જોડવા રજૂઆત કરાઇ હતી.(૮.પ)

(1:12 pm IST)