Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

શ્રાવણ માસના છેલ્લા સોમવારે મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યું :આરતી-ધ્વજાપૂજા કરી

મંત્રીના હસ્તે પાલખીયાત્રા :મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું

સોમનાથ :પવિત્ર શ્રાવણ માસના ચોથા (અંતિમ) સોમવારે પ્રથમ  જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના મંદિરે રાજ્યના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને સોમનાથ મહાદેવના દર્શન,પ્રાત:આરતી, ધ્વજાપુજા કરી શ્રી સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી શ્રી સોમનાથ ટ્રસ્ટના એક્ઝિક્યુટિવ ઓફીસર દ્વારા મંત્રીને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ.હતા 

     સવારે 9-00 વાગ્યે મંદિર પરિસરમાં શ્રાવણી સોમવારે પારંપરીક પાલખીયાત્રા  ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરવામાં આવેલ. સાથે શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર ,એક્ઝિક્યુટિવ ઓફીસર પણ ઉપસ્થિત રહેલ.પાલખી યાત્રા શ્રી સોમનાથ મંદિરમા પસાર થઇ હતી, મહાદેવ નગરચર્યા એ નીકળે ત્યારે ભક્તો હર હર ના નાદ અને પુષ્પો સાથે સ્વાગત કરેલ હતુ.

(4:45 pm IST)