Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

કેશોદની સાબલી નદીમાં નહાવા પડેલ બે ભાઇઓ સહિત ૩ના મોતઃ પરિવારજનો શોકમય

કેશોદના ૩ દલિત યુવાનોનો સાબલી નદીઅે ભોગ લીધોઃ બે તો સગા ભાઇઓ હતા

 

(કિશોરભાઇ દેવાણી દ્વારા) કેશોદઃ કેશોદ નજીકમાં આવેલી નોજણાવાવની સાબલી નદીમાં ત્રણ યુવાનો ન્હાવા ઉતર્યા હતા. જે દરમિયાન ડૂબવાથી તેઓના મોત નિપજ્યુ હતુ. ત્રણેય યુવાનોમાં બે સગા ભાઇ હોવાનુ સામે આવી રહ્યુ છે.નહાવા ગયેલ યુવાનોમાં અેકયુવાન પાણીમાં ડબવા લાગતા અન્ય બે યુવાનો તેમને બચાવવા જતા ત્રણેય દલિત યુવાનો ()તરુણ રસીકભાઈ વાધેલા ( ..૧૭), ()તુષાર રસીકભાઈ વાઘેલા (..૨૦), ()જતીન હરેશભાઈ રાઠોડ (..૧૯) પાણીમાં ગરકાવ થઈ  જીવ ગુમાવેલ હતા.

ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોચી જઇ ત્રણેય યુવાનોનાં મૃતદેહને બહાર કાઢ્યા હતા. ત્રણેય યુવાનો મેંદરડા તાલુકાના અરણયારા ગામના હોવાનુ જાણવા મળેલ છે.

ત્રણ યુવાનોનાં મોડી રાત સુધી ઘરે પાછા ફરતા  પરિવારજનોએ યુવાનોને મોબાઈલ પર  સંપકૅ કરવા પ્રયત્ન કરતા અને સંપકૅ થતાં તેઓ ચિંતાતુર બન્યા હતા. પરિવાર દ્વારા પોલીસમાં ફરિયાદ નોંઘાવ્યા બાદ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. જે બાદ પોલીસને નોજણવાવની સાબલી નદીમાં ત્રણ યુવાનોની લાશ મળી આવતા તેઓના પરિવારજનોને તેની જાણ કરવામા આવી હતી. અેકજ પરિવારે બે કંધોતરા પુત્રો ગુમાવતા દલિત પરિવારે આભ ફાટી પડયા જેવા આઘાતમાં ગરકાવ થઈ ગયેલ છે. બનાવથી નાના એવા અરણયાળા ગામમાં અરેરાટી વ્યાપી જવા પામેલ છે.

(4:43 pm IST)