Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

કાલાવડ ભાજપ દ્વારા બલિદાન દિવસની ઉજવણી

કાલાવડ : ભારતીય જનતા પાર્ટી કાલાવડ શહેર અને તાલુકા દ્વારા ભારતના મહાન સપુત ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ અને તા.રપ જૂન કટોકટીના કાળા દિવસની યાદમાં જેપીએસ સ્કુલ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, જિલ્લાના પ્રભારી અને પુર્વ મંત્રી જેન્તીભાઇ કવાડીયા તથા સહપ્રભારી વંદનાબેન મકવાણાની ઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજાયો હતો જેની શરૂઆતમાં વૃક્ષારોપણ કરાયુ હતુ ત્યારબાદ મહાનુભાવોના હસ્તે દિપપ્રાગટય કરાયુ હતુ. રમેશભાઇ મુંગરા, જેન્તીભાઇ કવાડીયા અને વંદનાબેન મકવાણાએ પ્રાસંગીક ઉદબોધનમાં સંગઠનને વધારે મજબૂત કરવા પ્રયત્નશીલ થવા અને આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપ્યુ હતુ. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના મહામંત્રી પ્રવિણસિંહ જાડેજા, મનોજભાઇ જાની, ઉપપ્રમુખ ગાંડુભાઇ ડાંગરીયા, મંત્રી હિનાબેન રાખોલીયા, યુવા મોરચાના પ્રમુખ ભૂમીતભાઇ ડોબરીયા, મહિલા મોરચાના મહામંત્રી ક્રિષ્નાબા જાડેજા, લઘુમતી મોરચાના મહામંત્રી મુરતુજાભાઇ સાદીકોટ, કુમારપાળસિંહ રાણા, પી.ડી.જાડેજા, અભિષેકભાઇ પટવા, પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, મુળજીભાઇ ધૈયડા, ન.પા.પ્રમુખ અજમાલભાઇ ગઢવી, તા.પં.પ્રમુખ એમ.પી.ડાંગરીયા, જિ.પં.ન્યાય સમિતિના ચેરમેન, ગોમતીબેન ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ વોરાએ અને આભારવિધિ તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઇ ડાંગરીયાએ કરેલ તથા સંચાલન તાલુકા ભાજપ મહામંત્રી છગનભાઇ સોરઠીયાએ કરેલ તેમજ સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા મહામંત્રી મહેશભાઇ સાવલીયા, વિનોદભાઇ રાખોલીયા અને પરાક્રમસિંહ જાડેજાએ કરી હતી. દિપ પ્રાગટય કરવામાં આવ્યું તે તસ્વીર.

(11:51 am IST)