Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

પરિવારે નશો કરવા પૈસા ન આપતાં ડેરવાણના જસુભાઇએ ઝેર પી જીવ દીધો

પંદર દિવસની સારવારને અંતે રાજકોટમાં મૃત્યુ નિપજ્યું

રાજકોટ તા. ૨૬: જુનાગઢના ડેરવાણ ગામે રહેતાં જસુભાઇ જગાભાઇ ભટ્ટી (ઉ.વ.૪૪)એ ઝેર પી આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

જસુભાઇએ પંદરેક દિવસ પહેલા પોતાની વાડીએ ઝેરી દવા પી લેતાં જુનાગઢ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. અહિ સારવાર દરમિયાન દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી જુનાગઢ પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર જસુભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં નાના હતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં.

તેમના સગાના કહેવા મુજબ કેટલાક સમયથી જસુભાઇને દારૂ પીવાની ટેવ પડી ગઇ હતી. પરિવારજનોએ પીવા માટે પૈસા ન આપતાં માઠુ લાગી જતાં તેમણે વાડીએ ખડમાં નાંખવાની દવા પી લીધી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(12:13 pm IST)